ચાલો આજે એક વાર્તા કહું !
પણ જરા મગજને દોડતું રાખવું પડશે હોં ?
"ધારો કે..." માણસજાતિ એ ટેકનોલોજીમાં વર્ષો પછી એવી હરણફાળ ભરી છે કે અંતરિક્ષમાં પ્રકાશની ગતિ જેટલી ગતિથી સ્પેસશીપ દોડાવવું શક્ય બન્યું છે.આ ટેકનોલોજીથી માનવજાત માટે અંતરિક્ષની ના ખેડાયેલી ઊંડાઈઓએ પહોંચવાનું હવે શક્ય બન્યું છે.એક આંતરરાષ્ટ્રીય યોજના પ્રમાણે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ ક્ષેત્રોના "ખેરખાં" ઓને એક સ્પેસટ્રાવેલ માટે તૈયાર કરવામાં આવે છે.આ સ્પેસ પ્રોગ્રામના અંતર્ગત આ સ્પેસટ્રાવેલર્સે એક અનંત અંતરિક્ષયાત્રા પર જવાનું છે અને એ યાત્રા દરમ્યાન શક્ય હોય ત્યાં સુધી પૄથ્વી તરફ "અપડેટ્સ" ટ્રાન્સમીટ કરવાનાં છે. યાત્રાનું મુખ્ય મિશન : "અંતરિક્ષમાં જીવનની શોધ !"
તો યાત્રા શરૂ થાય છે.ધારવાની રમત ચાલુ રાખો.અસંખ્ય પ્રકાશવર્ષ સુધી ચાલે એવા બળતણની વ્યવસ્થા છે એવું ધારી લો ! પણ અંતરિક્ષમાં "અસંખ્ય પ્રકાશવર્ષ" એટલે શું ? "અસંખ્ય" શબ્દ અંતરિક્ષની વિરાટતા સામે વામન ના ગણાય ? તો ધારો કે આપણી ગૅલેક્સીથી ક્યાંય દૂર કોઈક ગૅલેક્સીમાં પહોંચેલા આપણા અવકાશયાનને હવે બળતણ(ધારો કે યુરેનીયમ)ની ખોટ પડવા લાગી છે.આટલા અંતરેથી હવે પૄથ્વી સાથેનો સંપર્ક તો ક્યારનોય તૂટી ગયો છે...
ધારવાની આપણી આ ગેમનો બેસ્ટ પાર્ટ હવે આવે છે.ધારો કે કટોકટીના આ સમયમાં જ એ ગૅલેક્સીમાં આપણા અવકાશયાત્રીઓને કાંઈક એવું દેખાય છે, જેની ત્યાં હોવાની એમને ક્યારેય આશા નહોતી ! એક ગ્રહ...દેખાવમાં પૄથ્વીને મળતો આવતો...આધુનિક ઉપકરણોથી સજ્જ અવકાશયાનના યાત્રીઓ કોઈક રીતે તપાસ કરે છે કે એમને જે બળતણની જરૂર છે એ આ ગ્રહ પર છે જ ! અને પૄથ્વીને આટલા મળતા આવતા ગ્રહ પર ઉતરાણ ના કરીયે તો તો "અંતરિક્ષમાં જીવનની શોધ" નું મિશન લાજે ! તો બળતણ અને મિશનના વિચારે યાનને એ ગ્રહ પર લેન્ડ કરાવવાનું નક્કી કરવામાં આવે છે !
હવે એ ગ્રહ પરનો સીન વિચારો.ધારો કે એ ગ્રહ પૄથ્વીને ઘણીબધી રીતે મળતો આવતો હોવાને કારણે પૄથ્વીની જેમ જ ત્યાં પણ જીવન છે.ફરક માત્ર એટલો જ કે હજુ એ ગ્રહના "બુધ્ધીશાળી" જીવો આપણી પૄથ્વીના આદીમાનવ જેવી બૌધ્ધિક અવસ્થામાં છે ! અને એક દિવસ એમની ઉપરનું આકાશ અને એમની નીચેની ધરતી ભયંકર ઘોંઘાટથી ધ્રુજવા લાગે છે. આકાશમાં એમને એક ચમકતી ચીજ દેખાય છે...જે એમની તરફ આવી રહી છે...જેનું કદ અંતર ઘટવા સાથે ધીરે ધીરે વધી રહ્યું છે.એમાંથી અગ્નિ વરસી રહ્યો છે. હતપ્રભ થઈ ગયેલાં આદિમાનવો જોઈ રહ્યાં છે. અગ્નિરથ ધરા ધ્રૂજાવતો જમીનને સ્પર્શે છે.ધુમાડાના ગોટેગોટા...કાન ફાડી નાંખે એવો અવાજ... અને આદિમાનવોનું અવિકસિત મગજ !!! સૌ ઘૂંટણિયે પડી જાય છે...બે હાથ અને માથું જમીન પર ! "ભગવાન...ગોડ...મસીહા...દેવ...આકા...માલિક...ઈશ્વર...".એમના માટે તો આ દેવો સ્વર્ગમાંથી ધરતી પર પધાર્યા છે !
અવકાશયાત્રીઓ લેન્ડ કરીને જ્યારે યાનની બહાર નીકળે છે ત્યારે જુએ છે કે અહીંના "આદિમનુષ્યો" ઑલરેડી એમને ભગવાન માની ચૂક્યા છે અને એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે.એકબીજાની ભાષા સમજવાનો તો પ્રશ્ન જ નથી.એ સાથે જ શરૂ થાય છે એ ગ્રહના આદીમાનવોની બૌધ્ધિક વિકાસની યાત્રા ! કઈ રીતે ? આપણા અવકાશયાત્રીઓ સાઈન લેન્ગવેજ અને ચિત્રોથી એમની સાથે વાર્તાલાપ શરૂ કરે છે.ચિત્રલિપિ એ ગ્રહ પર સદીઓ સુધી આવનારી પેઢીઓને પુરાતનકાળ વિષે ઉત્સુક રાખશે...કદાચ ! આદિમાનવો જુએ છે કે "ભગવાન" અવકાશયાત્રીઓ એકબીજા સામે ચિત્રવિચિત્ર અવાજો કર્યા કરે છે...અને એ ઓબ્સરવેશન કદાચ એ ગ્રહ પર ભાષાના ઉદભવનું બીજ હોઈ શકે ! આપણા અવકાશયાત્રીઓ ત્યાંના આદીમાનવોને "અગ્ની" ઉત્પન્ન કરતાં શીખવે છે...અને એ અગ્નીના અગણિત ફાયદાઓ બતાવે છે ! બની શકે કે હજુ પણ બંદરના શારીરિક લક્ષણો ધરાવતા આદીમાનવોમાંની અમુક માદાઓમાં આપણા યાત્રીઓ એમનું "બીજ" રોપે, જેથી એક નવી "સ્પીસીઝ" કે "જાતિ" નું નિર્માણ થાય, જે શારીરિક અને બૌધ્ધિક રીતે પોતાની આગલી પેઢી કરતાં ઘણી જ "એડવાન્સ્ડ" હોય... (ઊત્ક્રાંતિ ?????). એ ગ્રહના લોકોએ "ભગવાનો" ને ઘણું કરતાં જોયાં. એમની સમજણની બહારની એ બધી ક્રીયાઓ એમણે માત્ર નકલની જેમ (બંદરો ખરાંને ભઈ !) ચાલુ કરી અને જેમ જેમ સમજતાં ગયાં એમ એમ એ ક્રીયાઓને "સિધ્ધાંત" તરીકે સ્વીકારી. છેવટે "આપણી પબ્લિક" એમને અંદરોઅંદર ઝઘડવાના ગેરફાયદાઓ સમજાવવામાં અને "સમાજ" બનાવીને એમાં હળીમળીને રહેવાના ફાયદાઓ સમજાવવામાં સફળ રહી ! જરૂરી બળતણ ભેગું થતાં હવે અવકાશયાત્રીઓ પોતાની યાત્રા "કન્ટીન્યુ" કરવા તૈયાર થયા...પણ ભગવાની વિદાય વેળાએ ત્યાંના લોકોએ ભગવાનને પૂછ્યું કે "ફરી ક્યારે આવશો ?"--ત્યારે આપણા યાત્રીઓએ સરળ જવાબ આપ્યો : "અમે ફરી જરૂર આવીશું..."---શક્ય છે કે આ જવાબનું વખત જતાં...એક જીભેથી બીજી જીભે ટ્રાન્સ્ફર થતાં..."અધર્મ વધતાં હું ફરી આવીશ..." ટાઈપ ભાષાંતર થાય !!!
""અંતરિક્ષની જેમ અનંત લૂપહોલ્સ ધરાવતી મારી આ "ધારવાની" સાયન્સ ફિક્શનને કદાચ લોકો હસી નાંખે ખરા...પણ વિચારજો કે એક વખત "મનુષ્ય આકાશમાં ઊડી શકે ..." એવું વિચારનારા પણ "ઘેલાં" માં ખપાતાં હતાં !""--આવું લખીને શરૂઆત કરનારા લેખક Eric Von Denican પોતાના પુસ્તક "Chariots of Gods--Was God an Astronaut ?"(ભગવાનના રથ...શું ભગવાન અંતરિક્ષયાત્રી હતા ?)માં ઉપરની વાર્તા કહીને પછી એ આદીમાનવોની જગ્યાએ મનુષ્યજાત અને એ ગ્રહની જગ્યાએ આપણી પૄથ્વીને મુકીને પછી વિચારવા કહે છે. જો કે ઉપરની વાર્તા વાંચતાં વાંચતાં જ આપ સૌએ વગર કહ્યે એ વિચારી જ લીધું હશે...અને કેમ ના વિચારી શકાય ? શું આમ થવું પોસીબલ નથી ? લેખકે પોતાની આ થીયરી ને આધાર આપવા માટે "રામાયણ" અને "મહાભારત" થી માંડીને કંઈ કેટલાય ગ્રંથોનાં કેટલાંય લખાણો નો સંદર્ભ લીધો છે. કેટલાંય ઐતિહાસિક બાંધકામોના પ્રયોજનો ચર્ચ્યા છે. પુરાતનકાળનાં કેટલાંક પ્રસિધ્ધ, પણ ન સમજાયેલાં પાષાણચિત્રો પોતાની આ થીયરી પ્રમાણે બંધબેસતાં ગણ્યાં છે. આપણી "ભગવાન" વિષેની પરંપરાગત વિચારસરણીને ઘડીક ડગાવી દેતી થીયરી લેખક રજૂ કરે છે. હું લેખકની આ વિચારસરણીને "આઊટ ઓફ ધ બોક્સ" વિચારસરણી ગણું છું. આ વિષે વિચારી જોજો...ખૂબ મજા આવશે.
પણ જરા મગજને દોડતું રાખવું પડશે હોં ?
"ધારો કે..." માણસજાતિ એ ટેકનોલોજીમાં વર્ષો પછી એવી હરણફાળ ભરી છે કે અંતરિક્ષમાં પ્રકાશની ગતિ જેટલી ગતિથી સ્પેસશીપ દોડાવવું શક્ય બન્યું છે.આ ટેકનોલોજીથી માનવજાત માટે અંતરિક્ષની ના ખેડાયેલી ઊંડાઈઓએ પહોંચવાનું હવે શક્ય બન્યું છે.એક આંતરરાષ્ટ્રીય યોજના પ્રમાણે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ ક્ષેત્રોના "ખેરખાં" ઓને એક સ્પેસટ્રાવેલ માટે તૈયાર કરવામાં આવે છે.આ સ્પેસ પ્રોગ્રામના અંતર્ગત આ સ્પેસટ્રાવેલર્સે એક અનંત અંતરિક્ષયાત્રા પર જવાનું છે અને એ યાત્રા દરમ્યાન શક્ય હોય ત્યાં સુધી પૄથ્વી તરફ "અપડેટ્સ" ટ્રાન્સમીટ કરવાનાં છે. યાત્રાનું મુખ્ય મિશન : "અંતરિક્ષમાં જીવનની શોધ !"
તો યાત્રા શરૂ થાય છે.ધારવાની રમત ચાલુ રાખો.અસંખ્ય પ્રકાશવર્ષ સુધી ચાલે એવા બળતણની વ્યવસ્થા છે એવું ધારી લો ! પણ અંતરિક્ષમાં "અસંખ્ય પ્રકાશવર્ષ" એટલે શું ? "અસંખ્ય" શબ્દ અંતરિક્ષની વિરાટતા સામે વામન ના ગણાય ? તો ધારો કે આપણી ગૅલેક્સીથી ક્યાંય દૂર કોઈક ગૅલેક્સીમાં પહોંચેલા આપણા અવકાશયાનને હવે બળતણ(ધારો કે યુરેનીયમ)ની ખોટ પડવા લાગી છે.આટલા અંતરેથી હવે પૄથ્વી સાથેનો સંપર્ક તો ક્યારનોય તૂટી ગયો છે...
ધારવાની આપણી આ ગેમનો બેસ્ટ પાર્ટ હવે આવે છે.ધારો કે કટોકટીના આ સમયમાં જ એ ગૅલેક્સીમાં આપણા અવકાશયાત્રીઓને કાંઈક એવું દેખાય છે, જેની ત્યાં હોવાની એમને ક્યારેય આશા નહોતી ! એક ગ્રહ...દેખાવમાં પૄથ્વીને મળતો આવતો...આધુનિક ઉપકરણોથી સજ્જ અવકાશયાનના યાત્રીઓ કોઈક રીતે તપાસ કરે છે કે એમને જે બળતણની જરૂર છે એ આ ગ્રહ પર છે જ ! અને પૄથ્વીને આટલા મળતા આવતા ગ્રહ પર ઉતરાણ ના કરીયે તો તો "અંતરિક્ષમાં જીવનની શોધ" નું મિશન લાજે ! તો બળતણ અને મિશનના વિચારે યાનને એ ગ્રહ પર લેન્ડ કરાવવાનું નક્કી કરવામાં આવે છે !
હવે એ ગ્રહ પરનો સીન વિચારો.ધારો કે એ ગ્રહ પૄથ્વીને ઘણીબધી રીતે મળતો આવતો હોવાને કારણે પૄથ્વીની જેમ જ ત્યાં પણ જીવન છે.ફરક માત્ર એટલો જ કે હજુ એ ગ્રહના "બુધ્ધીશાળી" જીવો આપણી પૄથ્વીના આદીમાનવ જેવી બૌધ્ધિક અવસ્થામાં છે ! અને એક દિવસ એમની ઉપરનું આકાશ અને એમની નીચેની ધરતી ભયંકર ઘોંઘાટથી ધ્રુજવા લાગે છે. આકાશમાં એમને એક ચમકતી ચીજ દેખાય છે...જે એમની તરફ આવી રહી છે...જેનું કદ અંતર ઘટવા સાથે ધીરે ધીરે વધી રહ્યું છે.એમાંથી અગ્નિ વરસી રહ્યો છે. હતપ્રભ થઈ ગયેલાં આદિમાનવો જોઈ રહ્યાં છે. અગ્નિરથ ધરા ધ્રૂજાવતો જમીનને સ્પર્શે છે.ધુમાડાના ગોટેગોટા...કાન ફાડી નાંખે એવો અવાજ... અને આદિમાનવોનું અવિકસિત મગજ !!! સૌ ઘૂંટણિયે પડી જાય છે...બે હાથ અને માથું જમીન પર ! "ભગવાન...ગોડ...મસીહા...દેવ...આકા...માલિક...ઈશ્વર...".એમના માટે તો આ દેવો સ્વર્ગમાંથી ધરતી પર પધાર્યા છે !
અવકાશયાત્રીઓ લેન્ડ કરીને જ્યારે યાનની બહાર નીકળે છે ત્યારે જુએ છે કે અહીંના "આદિમનુષ્યો" ઑલરેડી એમને ભગવાન માની ચૂક્યા છે અને એમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર છે.એકબીજાની ભાષા સમજવાનો તો પ્રશ્ન જ નથી.એ સાથે જ શરૂ થાય છે એ ગ્રહના આદીમાનવોની બૌધ્ધિક વિકાસની યાત્રા ! કઈ રીતે ? આપણા અવકાશયાત્રીઓ સાઈન લેન્ગવેજ અને ચિત્રોથી એમની સાથે વાર્તાલાપ શરૂ કરે છે.ચિત્રલિપિ એ ગ્રહ પર સદીઓ સુધી આવનારી પેઢીઓને પુરાતનકાળ વિષે ઉત્સુક રાખશે...કદાચ ! આદિમાનવો જુએ છે કે "ભગવાન" અવકાશયાત્રીઓ એકબીજા સામે ચિત્રવિચિત્ર અવાજો કર્યા કરે છે...અને એ ઓબ્સરવેશન કદાચ એ ગ્રહ પર ભાષાના ઉદભવનું બીજ હોઈ શકે ! આપણા અવકાશયાત્રીઓ ત્યાંના આદીમાનવોને "અગ્ની" ઉત્પન્ન કરતાં શીખવે છે...અને એ અગ્નીના અગણિત ફાયદાઓ બતાવે છે ! બની શકે કે હજુ પણ બંદરના શારીરિક લક્ષણો ધરાવતા આદીમાનવોમાંની અમુક માદાઓમાં આપણા યાત્રીઓ એમનું "બીજ" રોપે, જેથી એક નવી "સ્પીસીઝ" કે "જાતિ" નું નિર્માણ થાય, જે શારીરિક અને બૌધ્ધિક રીતે પોતાની આગલી પેઢી કરતાં ઘણી જ "એડવાન્સ્ડ" હોય... (ઊત્ક્રાંતિ ?????). એ ગ્રહના લોકોએ "ભગવાનો" ને ઘણું કરતાં જોયાં. એમની સમજણની બહારની એ બધી ક્રીયાઓ એમણે માત્ર નકલની જેમ (બંદરો ખરાંને ભઈ !) ચાલુ કરી અને જેમ જેમ સમજતાં ગયાં એમ એમ એ ક્રીયાઓને "સિધ્ધાંત" તરીકે સ્વીકારી. છેવટે "આપણી પબ્લિક" એમને અંદરોઅંદર ઝઘડવાના ગેરફાયદાઓ સમજાવવામાં અને "સમાજ" બનાવીને એમાં હળીમળીને રહેવાના ફાયદાઓ સમજાવવામાં સફળ રહી ! જરૂરી બળતણ ભેગું થતાં હવે અવકાશયાત્રીઓ પોતાની યાત્રા "કન્ટીન્યુ" કરવા તૈયાર થયા...પણ ભગવાની વિદાય વેળાએ ત્યાંના લોકોએ ભગવાનને પૂછ્યું કે "ફરી ક્યારે આવશો ?"--ત્યારે આપણા યાત્રીઓએ સરળ જવાબ આપ્યો : "અમે ફરી જરૂર આવીશું..."---શક્ય છે કે આ જવાબનું વખત જતાં...એક જીભેથી બીજી જીભે ટ્રાન્સ્ફર થતાં..."અધર્મ વધતાં હું ફરી આવીશ..." ટાઈપ ભાષાંતર થાય !!!
""અંતરિક્ષની જેમ અનંત લૂપહોલ્સ ધરાવતી મારી આ "ધારવાની" સાયન્સ ફિક્શનને કદાચ લોકો હસી નાંખે ખરા...પણ વિચારજો કે એક વખત "મનુષ્ય આકાશમાં ઊડી શકે ..." એવું વિચારનારા પણ "ઘેલાં" માં ખપાતાં હતાં !""--આવું લખીને શરૂઆત કરનારા લેખક Eric Von Denican પોતાના પુસ્તક "Chariots of Gods--Was God an Astronaut ?"(ભગવાનના રથ...શું ભગવાન અંતરિક્ષયાત્રી હતા ?)માં ઉપરની વાર્તા કહીને પછી એ આદીમાનવોની જગ્યાએ મનુષ્યજાત અને એ ગ્રહની જગ્યાએ આપણી પૄથ્વીને મુકીને પછી વિચારવા કહે છે. જો કે ઉપરની વાર્તા વાંચતાં વાંચતાં જ આપ સૌએ વગર કહ્યે એ વિચારી જ લીધું હશે...અને કેમ ના વિચારી શકાય ? શું આમ થવું પોસીબલ નથી ? લેખકે પોતાની આ થીયરી ને આધાર આપવા માટે "રામાયણ" અને "મહાભારત" થી માંડીને કંઈ કેટલાય ગ્રંથોનાં કેટલાંય લખાણો નો સંદર્ભ લીધો છે. કેટલાંય ઐતિહાસિક બાંધકામોના પ્રયોજનો ચર્ચ્યા છે. પુરાતનકાળનાં કેટલાંક પ્રસિધ્ધ, પણ ન સમજાયેલાં પાષાણચિત્રો પોતાની આ થીયરી પ્રમાણે બંધબેસતાં ગણ્યાં છે. આપણી "ભગવાન" વિષેની પરંપરાગત વિચારસરણીને ઘડીક ડગાવી દેતી થીયરી લેખક રજૂ કરે છે. હું લેખકની આ વિચારસરણીને "આઊટ ઓફ ધ બોક્સ" વિચારસરણી ગણું છું. આ વિષે વિચારી જોજો...ખૂબ મજા આવશે.
આ પુસ્તકની વિકિપીડીયાની લિન્ક અહીં મૂકું છું .
આપ સૌને જણાવી દઊં કે આ પોસ્ટનો આશય માત્ર આપને આ પુસ્તક વિષે માહિતી આપવાનો છે.વિકિપીડીયાની અહીં આપેલી લિન્ક પર જવાથી આપ જોશો કે આ પુસ્તકને કેવા પ્રકારનો પ્રતિભાવ સાંપડેલો... અને હું આગ્રહ કરું છું કે આપ એ લિન્ક પર જઈને ત્યાં આપેલી માહિતી પણ વાંચો...
આભાર !